Friday, 18 November 2011

સાત પગલા

પગલા............ ......... ......... ..

(જન્મ....  એક અણમોલ સોગાદ છે,   જે ભગવાનની ભેટ છે.....

(બચપણ   મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે  જે ડુબી શક્યો તે તરી ગયો છે....
(
તરુણાવસ્થા      કંઇ વિચારોકંઇ આશાઓનો પહાડ છે.        મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.       તરુણાવસ્થા એટલે તરવરાટથનગનાટ...        અને અનેક નવી મૂંઝવણો.... 

(યુવાવસ્થા    બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...     તેમા જોશ છેઝનુન છેફના થવાની ઉમ્મીદો ..     અને કુરબાન થવાની આશા છે.
(
પ્રૌઢાવસ્થા   ખુદને માટે કશુ ન વિચારતા...    બીજા માટે કરી છુટવાની ખુશી છે.    કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.      

(ઘડપણ   વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,    જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...   

(મરણ   જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે...   નાડીએ નાડીએ કર્મ તૂટશે..   પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...   ધર્મ-કર્મનો હિસાબ થશે...   સ્વર્ગ-નરકનો માર્ગ થશે....   પોતાનાનો પ્યાર છુટશે.........   અને...  સાત પગલા પુરા થશે..... 
માટે..   સાત પગલાની..   પાણી પહેલા પાળ બાંધો....

(
જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
(તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છોમાલીક નથી!
(
દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે...       તે ..  પોતે જ... ચાલાક છે...!    પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે     ત્યારે--------  માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(
જો તમને...       પહેરવા કપડારહેવા ઘર અને..       બે ટાઇમ અન્ન મળતું હોય તો...       ઉપરવાળાનો આભાર માનજો..    તમારાથી બીજા કેટલા સુખી છે..  તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..    તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(
તમે પૈસાદાર હો કે ગરીબ..        બધા અંતે મ્રુત્યુને જ વરે છે!       મુખ્ય વાત તો એ જ છે કે..     તમારી ખોટ કેટલાને પડી?      તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

No comments:

Post a Comment